અમદાવાદમાં આતંકવાદીઓ વિસ્ફોટક ભરેલી કાર પાર્ક ન કરી શક્યા!
સ્વતંત્રદિનની ઉજવણીને ટાર્ગેટ કરી લોહિયાળ જંગ ખેલવા માગતું પાકિસ્તાન સ્થિતિ લશ્કર-એ-તોઈબા અને ઇન્ડિયન મુજાહિદ્દીનની મેલી મુરાદ પર પાણી ફરી વળ્યું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ ગુપ્તચર એજન્સીઓએ કર્યો છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ત્રાસવાદીઓનું એક જુથ લાંબા સમયથી અમદાવાદમાં છુપાઈને બેઠું હતું. તેમણે નિર્દોષ લોકોની હત્યા કરવા વિસ્ફોટક ભરેલી કાર અમદાવાદના ભીડભાડવાળા વિસ્તારમાં પાર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ કરી શક્યા ન હતા.
ગુપ્તચર એજન્સીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્રકારની વાતચીત ઇન્ટરસેપ્ટ કરી હતી. ગત શુક્રવારે સેન્ટ્રલ આઇ.બી.એ રિપોર્ટ જારી કરી દહેશત વ્યક્ત કરી હતી કે એલઈટી સાથે સંકળાયેલા મુર્તુઝા અમીન તેની પત્ની રુખસાના તથા હમીદુલ્લાહ અને તેની પત્ની સુરગા બેગમ અમદાવાદમાં ઘૂસી ગયાં છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ત્રાસવાદીઓનું એક જુથ લાંબા સમયથી અમદાવાદમાં છુપાઈને બેઠું હતું. તેમણે નિર્દોષ લોકોની હત્યા કરવા વિસ્ફોટક ભરેલી કાર અમદાવાદના ભીડભાડવાળા વિસ્તારમાં પાર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ કરી શક્યા ન હતા.
ગુપ્તચર એજન્સીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્રકારની વાતચીત ઇન્ટરસેપ્ટ કરી હતી. ગત શુક્રવારે સેન્ટ્રલ આઇ.બી.એ રિપોર્ટ જારી કરી દહેશત વ્યક્ત કરી હતી કે એલઈટી સાથે સંકળાયેલા મુર્તુઝા અમીન તેની પત્ની રુખસાના તથા હમીદુલ્લાહ અને તેની પત્ની સુરગા બેગમ અમદાવાદમાં ઘૂસી ગયાં છે.