ખડાતના યુવાનની હત્યા થઈ હોવાનો પરિવારજનોનો આક્ષેપ
Aug 07, 2012
માણસા વિસ્તારના ખડાત ગામે સાબરમતી નદી કિનારે તા.૩/૮/ર૦૧ર ના રોજ એક અજાણ્યા પુરૂષની લાશ નદીના ખાડામાં ભરાયેલ પાણીમાં તરતી હોવા અંગેની ખડાતના સરપંચે માણસા પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો ર૪/ર૦૧ર નોંધી લાશનો કબ્જો લઈ માણસા સિવિલ હોસ્પીટલમાં પી.એમ. માટે મોકલી હતી.
તેમજ માણસા પોલીસ મૃતક યુવાનના શરીરે કોઈ ઈજાના નિશાન જણાયેલ નથી તેવું જણાવી રહી છે, ત્યારે મૃતકના ભાઈએ મરનારના શરીરે અસંખ્ય ઈજાઓ, મોઢાનું જડબુ તોડી નાખવામાં આવ્યું હોવા ઉપરાંત મોઢા પર ઈજાના નિશાન,ગળાનો ભાગ ફૂલી ગયેલ,દાંત તૂટી ગયેલા હોવાનું કહ્યું છે.
પોતાના ભાઈની હત્યા થઈ હોવાની ચર્ચાઓ થતી હોવાનો આક્ષેપ કરી તપાસની માંગ કરી છે. અને આગાઉ પણ આ જ થિયરી પ્રમાણે નદીમાંથી મળેલ લાશો ખૂન કરી અકસ્માતમાં ખ૫વી દેવામાં આવી હોવાનો આક્ષેપ મુકી આ બાબતે જીણવટ ભરી અને ઉંડાણ પૂર્વકની તપાસ કરી આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરતાં મહૂડી પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
જરૂર પડે મૃતક યુવકનાં વિસેરા તપાસ માટે મોકલાશેઃ પોલીસ
ખડાત ગામનાં મોતને ભેટેલાં યુવાન કિરણસિંહ અંગે માણસા પોલીસ સ્ટેશનના આ કેસની તપાસ કરી રહેલા પી.એસ.આઈ વી.એન. રબારી એ જણાવ્યું હતું કે મરનારનો પી.એમ. રીપોર્ટ હજુ આવેલ નથી, પરંતુ પ્રાથમિક રીપોર્ટમાં યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત યુવકને શરીરે કોઈ ઈજાના નિશાન જણાયા ન હતા તેથી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલ છે તેમ છતાં જરૂર પડે મૃતક યુવાનના વિસેરા તપાસ માટે મોકલી આપવામાં આવશે.
- ચાર દિવસ અગાઉ નદીમાંથી લાશ મળી હતી
તેમજ માણસા પોલીસ મૃતક યુવાનના શરીરે કોઈ ઈજાના નિશાન જણાયેલ નથી તેવું જણાવી રહી છે, ત્યારે મૃતકના ભાઈએ મરનારના શરીરે અસંખ્ય ઈજાઓ, મોઢાનું જડબુ તોડી નાખવામાં આવ્યું હોવા ઉપરાંત મોઢા પર ઈજાના નિશાન,ગળાનો ભાગ ફૂલી ગયેલ,દાંત તૂટી ગયેલા હોવાનું કહ્યું છે.
પોતાના ભાઈની હત્યા થઈ હોવાની ચર્ચાઓ થતી હોવાનો આક્ષેપ કરી તપાસની માંગ કરી છે. અને આગાઉ પણ આ જ થિયરી પ્રમાણે નદીમાંથી મળેલ લાશો ખૂન કરી અકસ્માતમાં ખ૫વી દેવામાં આવી હોવાનો આક્ષેપ મુકી આ બાબતે જીણવટ ભરી અને ઉંડાણ પૂર્વકની તપાસ કરી આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરતાં મહૂડી પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
જરૂર પડે મૃતક યુવકનાં વિસેરા તપાસ માટે મોકલાશેઃ પોલીસ
ખડાત ગામનાં મોતને ભેટેલાં યુવાન કિરણસિંહ અંગે માણસા પોલીસ સ્ટેશનના આ કેસની તપાસ કરી રહેલા પી.એસ.આઈ વી.એન. રબારી એ જણાવ્યું હતું કે મરનારનો પી.એમ. રીપોર્ટ હજુ આવેલ નથી, પરંતુ પ્રાથમિક રીપોર્ટમાં યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત યુવકને શરીરે કોઈ ઈજાના નિશાન જણાયા ન હતા તેથી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલ છે તેમ છતાં જરૂર પડે મૃતક યુવાનના વિસેરા તપાસ માટે મોકલી આપવામાં આવશે.